જેતપુર,
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ દિન પ્રતિદિન વધતું જાય છે. કોરોનાનું સંક્ર્મણ વધુ ન ફેલાય અને તે હેતુથી આજ રોજ જેતપુર-નવાગઢ નગરપાલિકા તેમજ આરોગ્યતંત્ર દ્વારા જેતપુર શહેરની મુખ્ય બજારો કે જ્યાં લોકોની અવરજવર તેમજ ભીડ વધુ થાય છે એવા એમ.જી. રોડ, લાદી રોડ, જગાવાળા ચોરા રોડ, મતવા શેરી તેમજ કણકિયા પ્લૉટ સહિતના વિસ્તારોને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્ર્મણ વધુ ન ફેલાય તે માટે કવાયત હાથ ધરવામાં આવે છે.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર